સુરતમાં તા. 11 સપ્ટેમ્બર અને રવિવારે રુપીન પચ્ચીગરના પુસ્તક ‘મારે સફળ થવું છે’નું વિમોચન કર્યું. જેની જિંદગી જ સફળતાના પર્યાય જેવી છે એવા ડાયમંડ ટાયકૂન ગોવિંદભાઇ ધોળકીયા, ચેમ્બરના પ્રમુખ બી.એસ.અગ્રવાલ, સાહિત્ય સંગમના નાનુભાઇ તથા જનકભાઇ, અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ અને અનુજ પચ્ચીગર ડાયસ પર હતા. આખો હોલ ખીચોખીચ હતો. ‘દિવ્ય ભાસ્કર’, સુરતના તંત્રી અજય નાયક, ‘સત-અસત’ નવલકથાના લેખક અને પ્રોફેસર મનીષાબેન પાનવાલા, ઉતમભાઉ ગજ્જર, પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદા, કવિ મિત્ર મુકુલ ચોકસી સહીત અનેક લાકોની હાજરી કાબિલેદાદ.. પુસ્તક વિમાચનનો કાર્યક્રમ રવિવારે સવારે સાડા દશે હોય અને આખો હોલ ચિક્કાર હોય એવું સુરતમાં જ જોવા મળે. બોલવાની તો મજા પડી જ પણ બધાને મળીને સુરતના જૂના દિવસો વાગોળવાની પણ મજા આવી. થેંકયુ સુરત.
Related Posts
દેશના સ્ટુપિડ અને આઉટડેટેડ કાયદાઓ હવે તો બદલો ! દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ ———————————————- સમયની સાથે બધું જ બદલતું હોય…
હસતાં રહેવા જેવું કોઈ સૌંદર્ય નથી ઉનકે આને સે જો આ ગઈ ચહેરે પે હંસી, વો સમઝે કે બીમાર કા…
પ્રેમ, લાગણી અને સંબંધ ઉછીનાં લેવાની જરૂર નથી! ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ મુમકીન હૈ સફર હો આસાં, અબ સાથ ભી…